Donation

શાસનના સુકૃતોમાં સંપત્તિનો સદ્ઉપયોગ

Shree Prarthna Religious Trust

સાધુ સાધ્વી વૈયાવચ્ચ, અનુકંપા, ગિરિરાજસેવા (આણંદજી કલ્યાણજી પેઢી)

(શ્રી પ્રાર્થના રિલીજીયસ ટ્રસ્ટ)

શ્રી શાશ્વત ગિરિરાજના પવિત્ર સ્થાનમાં... દેવ દ્રવ્યના સંરક્ષણ પૂર્વક અનેક જીવોના દિલને હાશ અને આનંદિત કરવાપૂર્વક શ્રી સિદ્ધક્ષેત્રની આજુબાજુ ના રહેનારા વર્ગ ને ગિરિરાજ પ્રત્યે સદ્ભાવ અને બહુમાન પ્રગટ કરાવવાનો અનેરો લાભ...

પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર યાત્રિકો દ્વારા ઉત્તમોત્તમ દ્રવ્યપૂજા અર્થે સમર્પિત થતા શ્રેષ્ઠ ફળ અને સુંદર નૈવેદ નો પૂર્ણપણે સદ્ ઉપયોગ થાય તેવા ઉમદા હેતુ સાથે શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ - ભાવનગર દ્વારા પેઢીના નિયમોનુસાર આ ફળ અને નૌવેદને રોજ એકઠા કરી ઉપરથી મજૂરો દ્વારા નીચે લાવી પારણા ઘરમાં અલગ કરીને પવિત્ર શત્રુંજય ગિરિરાજની આસપાસના ગામોની સ્કૂલોમાં તથા સ્લમ વિસ્તારોમાં તેમજ તાલુકા - જિલ્લાના અનેક ગામોમાં હોસ્પિટલો જરૂરતમંદ સંસ્થાઓ તથા સ્કૂલો વિગરેમાં અજૈનોને અનુકંપા દાન સ્વરૂપે રોજબરોજ વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ "આદિશ્વર દાદાની પ્રસાદી" સ્વરૂપે થઇ રહી છે.

જીવદયા નું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ "અનુકંપા દાન" નું પણ છે. આ આયોજનથી ગિરિરાજની આસપાસના ગામોમાં વસતા ગામજનોની તીર્થ તથા દાદા પ્રત્યેની આસ્થા પણ વધી રહી છે.

Shree Prarthna Health and Education Trust

વિધવા સહાય(૨૦૦૫), પુષ્પાંજલિ (૨૦૦૮), મેડિકલ ચેકઅપ, એજ્યુકેશન

(શ્રી પ્રાર્થના હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ)

પસ્તી કલેકશનની પસ્તી વેચાણ દ્વારા આવતી શુભેચ્છા - દાન નિધિ ઉપરાંત જુદા જુદા ઉદાર દિલ શ્રેષ્ઠિઓની આર્થિક સહાયથી શ્રી ભાવનગર જિલ્લાના એવા જૈન પરિવાર કે જેમાં પતિની ગેરહાજરી હોય તેવા વિધવા બહેનોના બાળકોના અભ્યાસ ની સ્કૂલ ફી , પુસ્તકો, ટ્યૂશન ફી જરૂરિયાત હોય તેમને સાયકલ અપાવવા સુધીની સંપૂર્ણ જવાબદારી મંડળ દ્વારા લઇ તેમને પૂર્ણ રીતે અભ્યાસમાં સહયોગી બનવાનું કાર્ય શ્રી પ્રાર્થના હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

મંડળના દરેક સભ્યો નાની એવી રકમ દ્વારા આ યોજનાના સભ્ય બને ત્યારબાદ કોઈપણ સભ્યની આકસ્મિક ગેરહાજરી થાય તો તેમના પરિવાર ને પુષ્પાંજલિ રૂપે ભેગી થયેલી રકમ અર્પણ કરવામાં આવે છે.

Shasan Samrat Foundation

ઉચ્ચતર માધ્યમ અભ્યાસ અર્થે સ્કૉલરશિપ, લોન

(શાસન સમ્રાટ ફાઉન્ડેશન)

એક એવું સોનેરી સ્વપ્ન સેવ્યું છે કે ભાવનગર જિલ્લા માટે હવે પછીના સમય માટે એક કાયમી સહાય-ટેકો બની શકે એવું વિશાળ- વિરાટ ફાઉન્ડેશન બને કે જેમાં પૂ. ગુરુ ભગવંતોના આશીર્વાદ અને શ્રેષ્ઠીવર્યોની ઉદાર સખાવતથી એક એવા મજબૂત વિશાળ ફંડની રચના કરી હાલના સમયમાં તાતી જરૂરિયાત ધરાવતા બે ક્ષેત્રો એજ્યુકેશન અને હેલ્થના કાર્યોમાં જિલ્લાભરના સાધર્મિકોને ટેકારૂપ બની શકાય.

ઉચ્ચતર શિક્ષણના ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવતા વિશિષ્ઠ વિદ્યાર્થી યુવાન યુવતીઓ નાણાંકીય વ્યવસ્થાના અભાવે આગળ વધતા અટકી જાય છે. ત્યારે તેમને ટેકારૂપ બની તે આગળ વધે તે માટે હાયર એજ્યુકેશન સહાય આપી સમાજમાં તેજસ્વી અભ્યાસુ યુવા-વર્ગ તૈયાર કરવા અંગે કાર્ય વિચાર્યું છે.

સાથે સમયાનુસાર અનેક વિધ બીમારીઓના સમયે આપણા સાધર્મિક બંધુ અતિ વ્યથા અનુભવી રહ્યા હોય છે. મોટી વ્યાધિ કે સર્જરીના સમયે તેમની પાસે કોઈ વિકલ્પ નથી હોતો. પરંતુ આ ફાઉન્ડેશનમાંથી તેમને સહાયરૂપ બની તેમની આંખોના આંસુ લૂછવાનું પ્રયોજન કરેલ છે.

Happyness Group

Happyness Group

(શાસન સમ્રાટ ફાઉન્ડેશન)

સમાજમાં સૌથી વધુ વિકટ સ્થિતિ ત્યારે સર્જાય છે, જયારે પરિવારની મુખ્ય વ્યક્તિની ગેરહાજરી થઇ જાય અને પાછળના સભ્યોની જવાબદારી સમાજની કે અન્ય પરિવારજનો અથવા સંબધીઓની બની જાય છે...

આવા વિકટ સમયે તે પરિવાર આધાર વિહોણો, લાચાર, વિવશ અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. તેમના માટે કરવામાં આવતી ટીપ કે ફાળો ઉઘરાવતા અન્યને શરમાવી, સમજાવી અને રકમ લખાવવી પડે છે, તે સમયે તેઓ ક્યારેક હાસ્યાસ્પદ કે લજ્જાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે.

આવી પરિસ્થિતિ નું નિર્માણ ન થાય તે માટે એક અલગ વ્યવસ્થા, યોજના બનાવવાનું વિચારેલ તે યોજના એટલે Happyness Group

Tax Exemption Declaration

SHREE PRATHNA RELIGIOUS TRUST BHAVNAGAR is registered under Section 12A of the Income Tax Act, 1961, and is exempt from Income Tax as per the provisions of the said Act.

Donations made to the Trust are eligible for tax benefits under Section 80G of the Income Tax Act, 1961, subject to the applicable provisions, conditions, and limits prescribed under the Act.

Donors are advised to retain their donation receipts for claiming tax exemption benefits, wherever applicable.